દુ:ખના ખોળામાં આળોટતા આ મનડાને ,
સુખી એક ચહેરાએ કેમ છો ? કહ્યું.
તવ એક બુંદ માટે તરસતા ચાતકને ,
વરસાદી ધારાયે પ્રેમ છો કહ્યું.
પગ-પગ ચુભતી કંટક રૂપ સમસ્યાઓને,
હળવા એક હાસ્યએ વ્હેમ છો કહ્યું.
ઝાડથી ખરતા છેલ્લા એ પર્ણને,
પાનખરની વાચાએ મુજ જેમ છો કહ્યું.
“વંદના ” હતા જ્યાં બોલવા પણ અશક્ત,
ત્યાં અંગત એક આંખોએ કેમ છો ? કહ્યું.
@વંદના પટેલ@
સુંદર ગઝલ. મનનીય વિચાર વિહાર.
રમેશ પટેલ(આકાશદીપ)
thank you…
શ્રી વંદના બહેન,
“વંદના “ હતા જ્યાં બોલવા પણ અશક્ત,
ત્યાં અંગત એક આંખોએ કેમ છો ? કહ્યું.
ખુબ સરસ .શબ્દ ગુથણી અને ભાવ.
કેમ છો ? કહ્યું.
Ane ChandraE Sambhalyu !
Saras Rachana !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting you to Chandrapukar !